કાક્કારિશી નાટકમ એ ભગવાન શિવ અને તેમની પત્ની પાર્વતીએ ભવિષ્યવાણી કહેનાર રખડતી જાતિના કક્કલન અને કક્કથી તરીકે માનવ સ્વરૂપ ધારણ કર્યું હતું તે પૌરાણિક દંતકથા પર આધારિત કટાક્ષ નૃત્ય-નાટિકા છે. દંતકથા નાટક માટે માત્ર માળખાકીય ઢાંચા તરીકે કાર્ય કરે છે, જે ઘણીવાર સમકાલિન સમાજના હોશિયાર સમીક્ષક તરીકે રૂપાંતરિત થાય છે. આમાં તમિલ અને મલયાલમની બોલચાલની ભાષાનું મિશ્રણ હોય છે. મુખ્ય પાત્રો કક્કલન, કક્કથી, વેદન, વેલિચપ્પડુ થમ્પુરાન અને સર્વવ્યાપક વિદૂષક હોય છે. ઢોલક, ગંચીરા, ચેન્દા અને હાર્મોનિયમ પાર્શ્વભૂ સંગીત પૂરું પાડે છે.
Department of Tourism, Government of Kerala, Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.