સ્થળ : અતિરપ્પલ્લી, ત્રિશૂરથી 63 કિમી અને વાઝાચલ એ ત્રિશૂરથી 68 કિમી દૂર છે.
અતિરપ્પલ્લી અને વાઝાચલ એ બંને જોવાલાયક અને પ્રસિદ્ધ જળધોધ છે, જે માત્ર 5 કિમી દૂર આવેલ શોલયાર વન રેન્જના કિનારે આવેલા છે. અતિરપ્પલ્લી ધોધ, 80 ફૂટ ઊંડે પડ્યા પછી ચલક્કુડી નદી સાથે જોડાય છે. વાઝાચલ એ ચલક્કુડી નદીનો ભાગ છે. બંને જળધોધ, તેમના શીતળ, ધૂમિલ જળ, હરિયાળા વન અને ખડકાળ પ્રદેશના પશ્ચાદ ભાગમાં પડે છે, જે પ્રવાસીઓ માટે ઝબકાવી દેતો અનુભવ છે.
અહીં પહોંચવા માટે:કોચિ અથવા ત્રિશુર નગરથી એક સારે ગાડી ચલાવી શકાય તેવો રસ્તો તમને અતિરપ્પલ્લી અને વાઝાચલ લઈ જાય છે.
- સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : ચલક્કુડી, લગભગ 30 કિમી દૂર છે.
- સૌથી નજીકનું હવાઈ મથક : કોચિન આંતરરષ્ટ્રીય હવાઈમથક, ત્રિશૂરથી લગભગ 58 કિમી દૂર છે.